જ્યારે કોઈપણ કંપની પોતાના શેઅર્સ આમ જનતાને પેહેલી વખત ખરીદવાની તક આપે છે તેને 'ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ' અથવા આઇ. પી. ઑ. કહેવાય છે.
ભારતીય શર બજારમા દર વર્ષે ઘણી કંપનીઓના આઇ. પી. ઑ. બહાર પડે છે. અને તેથી રોકાણકારોને તેમા મૂડી રોકવાનો મોકો મળે છે. તેજી (બુલ માર્કેટ) ના કાળમાં આઇ. પી. ઑ. ની સંખ્યા ખૂબ વધે છે અને મન્દિ (બેર માર્કેટ) ના કાળમાં તે ઘટે છે. નીચેના ચાર્ટનો અભ્યાસ કરવા થી આ વાત સમજાશે કે ૧૯૯૧ થી ૨૦૦૫ સુધી માં જ્યારે પણ તેજી હતી ત્યારે આઇ. પી. ઑ. ની સંખ્યા ઘણી વધુ હતી.

જાન્યુઆરી ૨૦૦૮ માં રિલાયન્સ પાવરનો મેગા આઇ. પી. ઑ. તો આખા ભારતમાં ખૂબ ગાજ્યો હતો. સુરત, જામનગર, અને બીજા ઘણા શેહેરોના ગ્રે માર્કેટમાં તેની ઉપર ઘણો સટ્ટો થયો હતો. અફસોસની વાત ઍ છે કે રિલાયન્સ પાવરનો શેર જ્યારે ઍન. ઍસ. ઈ. ઉપર લીસ્ટ થયો ત્યારે તેનો ભાવ ઘણો ઉતરી ગયો. અને રોકાણકારોનુ અબજો રૂપિયામાં નુકશાન થયુ. આનું મુખ્ય કારણ ઍ છે કે આ શેર જ્યારે લીસ્ટ થયો ત્યારે મન્દિ ચાલુ થઈ ગયી હતી.

તો સવાલ ઍ છે કે રોકાણકાર આઇ. પી. ઑ. માં શેના આધાર ઉપર રોકાણ કરે?
અમે છેલ્લા ૧૦ વર્ષોના આઇ. પી. ઑ. નુ વિશ્લેષણ કર્યુ અને અમારા મુખ્યા તરણો નીચે પ્રમાણે છે:- તેજિમા મોટા ભાગના આઇ. પી. ઑ. લીસ્ટ થવાના દિવસે રોકાણકારને (અરજદારને) નફો આપે છે.
- મંદીમા મોટા ભાગના આઇ. પી. ઑ. લીસ્ટ થવાના દિવસે અરજદારને નુકસાન પોહોચાડે છે.
- આઇ. પી. ઑ. માં કરેલુ રોકાણ લાંબા ગાળામા નફો આપસે કે નુકસાન કરાવશે ઍ વાત માર્કેટની તેજી અથવા મન્દિ ઉપર ઍટલોજ આધારિત છે જેટલો કે તે કંપનીના ફુન્દામેન્ટલ્સ (રેવેન્યૂ, અર્નિંગ્સ, વગેરે . . . ) ઉપર આધારિત છે.
- કંપની આઇ. પી. ઑ. જે કિંમતમાં (ઈશુ પ્રાઇસ) બજારમાં ઓફેર કરે છે તે કિંમત યોગ્ય છે કે નહીં તેનો અભ્યાસ કરવા નૅના રોકાણકારો પાસે સમયનો અભાવ હોય છે અને તેટલુ જ્ઞાન (સમજ) પણ હોતુ નથી.
- આઇ. પી. ઑ. દ્વારા ખરીદેલો શેર ક્યારે વેંચવો તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે.
ટ્રેડિંગ સ્ટ્રૅટજી
અમારો નિષ્કર્ષ (તારણ) ઍ છે કે આઇ. પી. ઑ. માં આંકડા-શાસ્ત્ર વાપરીને ટ્રેડિંગ કરવુ યોગ્ય છે.
કોઈ ઍક વિશિષ્ટ આઇ. પી. ઑ. નો ઉંડાણપૂર્વક (ફ્ન્ડામેન્ટલ) અભ્યાસ કરવા કરતા શેર બજારમા તેજી છે કે મન્દિ તેનો અભ્યાસ કરવો. જો તેજી હોય તો જેટલા પણ આઇ. પી. ઑ. ઉપલબ્ધ હોય તે બધામાં સમાન રોકાણ કરવુ; અને તે શેર ઍક્સચેંજ ઉપર લીસ્ટ થવાના પહેલાજ દિવસે વેંચી કાઢવો - આ સૌથી ઉત્તમ સ્ટ્રૅટજી છે. ઘણા આઇ. પી. ઑ.મા રોકાણ કરવાથી અને પેહલાજ દિવસે વેચવાથી જોખમ ઓછુ થાય.






